પૃષ્ઠો

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
સુવિચાર :- "સમય પ્રતિકૂળ હોય ત્યાં સુધી શત્રુને પણ ખભે ઉપાડીને ફરવો જોઈએ,પરંતુ ,જયારે સમય આવે ત્યારે જેમ પથ્થર પર માટીના ઘડાને ફોડી નખાય છે.તેમ શત્રુ ને ભેદી નાખવો --માલ્યવાન

ગુરુવાર, 2 ઑગસ્ટ, 2012

ભણતરની ભુખ.....!


રસ્તા તણી વાટમાં ચોપડી પેન તણી હાથમાં,
જો હોય મન મક્કમ તો ભણવા જવાય છે ફૂટપાથમાં,

તાપ પડે કે ભલે પડે તડકો અક્સર કાયામાં
રોજી રળીને જવું છે આ ગગનવિહારી છાયામાં,

જરૂર નથી વૈભવી વિલાસ કે ભૌતિક રાચરચીલાની
કુદરતની ભૌતિક બાબતો જે મારા ભણતરના પાયાની

ડર નથી કે સંકોચ નથી  મને મારી જાત પર
પ્રેરણા બનવું છે મારા મલકની નારી જાત પર

મને ખબર છે કે બાળપણની છત્રછાયા રઝળતી જાય છે
તો પણ ભણતરની આ ભુખ મને અહીં લાવી જાય છે.

આ  ભણતરની ભુખ....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો